Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

હવે ફરી એકવાર બેંકના કર્મચારીઓ આક્રમક મોડમાં

હડતાળને પગલે કરોડોના ટ્રાન્ઝેક્શન ખોરાવવાની શક્યતા : ગુજરાતની 3665 રાષ્ટ્રીયકૃત બેંકની શાખા બંધ રહેશે: ગુજરાતના 25 હજાર કરોડના વ્યવહારો પર અસર થશે

અમદાવાદ :હવે ફરી એકવાર બેંકના કર્મચારીઓ આક્રમક મોડમાં આવવાની તૈયારીમાં છે.  બેંકમાં હડતાળને પગલે કરોડોના ટ્રાન્ઝેક્શન ખોરાવવાની પુરેપુરી શકયતા રહેલી છે. : ગુજરાતની 3665 રાષ્ટ્રીયકૃત બેંકની શાખા બંધ રહેતા  ગુજરાતના 25 હજાર કરોડના વ્યવહારો પર માઠી અસર  થઇ શકશે.

બેંકોના ખાનગીકરણને લઇને છેલ્લા ઘણા સમયથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે. પરિણામે 28 અને 29 માર્ચના રોજ બેંકોની બે દિવસીય હડતાળની જાહેરાત કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈ એસોસિએશનના નેજા હેઠળ બેંક કર્મચારી કામથી અળગા રહેશે. સરકારની જાહેર સાહસ વિરોધી નિતિ સામે બેંક કર્મચારીઓએ હડતાળની જાહેરાત કરી છે. સરકારની જાહેર સાહસ વિરોધી નીતિ સામે હડતાળ કરાશે. વિવિધ 8 માંગણીઓઓ પર બેંકના કર્મચારીઓ હડતાળમાં જોડાશે. હડતાળને પગલે કરોડોના ટ્રાન્ઝેક્શન ખોરાવવાની શક્યતા છે. આ હડતાળમાં ગુજરાતની 3665 રાષ્ટ્રીયકૃત બેંકની શાખા બંધ રહેશે. ગુજરાતના 25 હજાર કરોડના વ્યવહારો પર અસર થશે.

બેંકના કર્મચારીઓની શું છે માગ?:જાહેર ક્ષેત્રને મજબૂત બનાવવા, બેંકોનું ખાનગીકરણ બંધ કરવુ, બેંક લોનની રિકવરી શરૂ કરવી,બેંકની થાપણના વ્યાજમાં વધારો કરવો,ગ્રાહકો પર ઊંચા સર્વિસ ચાર્જનો બોજ ન નાખવો,    DA લિંક્ડ પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવી,  આઉટસોર્સિંગ બંધ કરી કાયમી ભરતી કરવી,    તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવા.

અગાઉ પણ અનેક વખત બેંકોમાં હડતાળ પાડીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ત્યારે હવે ફરી એકવાર બેંકના કર્મચારીઓ આક્રમક મોડમાં જોવા મળશે. નેશનલાઇઝ બેંકોના કર્મચારીઓ ફરી એકવાર 28 અને 29 માર્ચ એમ બે દિવસ રાષ્ટ્રવ્યાપી હડતાળ પર ઉતરશે. મહત્વનું છે કે કેન્દ્ર સરકારે નાણાંકીય વર્ષ 2022 માટે બે સરકારી બેંકો અને એક વિમા કંપનીનું ખાનગીકરણ કરીને 1.75 લાખ કરોડ રૂપિયા મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. જાણવા મળી રહ્યું છે કે નેશનલાઇઝ બેંકોના કર્મચારીઓની 8 માગણીઓ મુદ્દે બેંક કર્મચારી સાથે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન તથા સ્વતંત્ર ફેડરેશનના સભ્યો પણ જાહેર ક્ષેત્રોને મજબુત બનાવવા હડતાળમાં જશે.

નેશનલાઇઝ બેંકોના કર્મચારીઓની જે માંગણી છે, જેમાં મુખ્યત્વે બેંકોનું ખાનગી કરણ બંધ કરવુ, બેંક લોનની રીકવરી શરુ કરવી, બેંકની થાપણના વ્યાજમાં વધારો કરવો, ગ્રાહકો પર ઊંચા સર્વિસ ચાર્જનો બોજ ન નાખવો, નવી પેન્શન યોજના રોકો- DA લિંક્ડ પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવી, આઉટ સોર્સીંગ બંધ કરી કાયમી ભરતી કરવી, તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવા જેવા મુદ્દે બે દિવસીય હડતાળ યોજવામાં આવશે.

જાણવા મળી રહ્યું છે કે હડતાળને પગલે કરોડોના ટ્રાન્ઝેક્શન ખોરવાઈ જવાની શક્યતા જોવામાં આવી રહી છે. માત્ર ગુજરાતની કુલ 3665 રાષ્ટ્રીયકૃત બેંક શાખાઓ હડતાળના કારણે બંધ રહેશે અને કુલ 40000 બેંક કર્મચારીઓ હડતાળમાં ભાગ લેશે. જેના કારણે ગુજરાતમાં રૂ.25000 કરોડના કુલ વ્યવહારોને અસર થશે.

(11:43 am IST)