Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

પ્રદેશ કોંગ્રેસના નવા માળખામાં એસ,સી,સમાજના આગેવાનોને સ્થાન નહિ મળતા નારાજ :આગામી ચિંતન બેઠકમાં પડશે પડઘો

કોંગ્રેસના સંગઠન માળખામાં તેમને યોગ્ય સ્થાન મળે તેવી માંગ આંતરીક રીતે કરવામાં આવી

કોંગ્રેસ દ્વારા  નવા સંગઠનના માળખાની જાહેરાત કરવામાં આવી છે. આ માળખાને લઈને એસ.સી સમાજના અમદાવાદના આગેવાનો નારાજ છે

એસસી આગેવાનોને સંગઠનમાં સ્થાન ના મળતા તેઓ નારાજ છે. આગામી સમયમાં બેઠક મળશે અને તેમાં એસસી સમાજના આગોવાનો આ ચિંતન બેઠકમાં જોડાશે. રવિવારે આ બેઠક અમદાવાદ ખાતે મળશે.

યોગ્ય સ્થાન આપવાને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસના સંગઠન માળખામાં તેમને યોગ્ય સ્થાન મળે તેવી માંગ તેઓ દ્વારા આંતરીક રીતે કરવામાં આવી રહી છે

કોંગ્રેસનો સૌથી મજબૂત વોટ બેન્ક માનવામાં આવે છે પરંતુ તેમનું તહેવું છે કે, અમને યોગ્ય સ્થાન મળે અને અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ દલીતને મુકવામાં આવે તેવી માંગ છે. જો કે, ભરતસિંહ પણ સંગઠનના માળખાને લઈને આજે દિલ્હી પહોંચ્યા છે જેથી ત્યાં હાઈકમાન્ડ સાથે આ બાબતે ચર્ચા કરે તેવી શક્યતા છે.

આ પહેલા લલિત વસોયાએ પણ સંગઠનના માળખાને લઈને નારાજગી દર્શાવી છે જે વાતને લઈને સોશિયલ મીડિયા પર તેમની હૈયા વરાળ પણ ઠાલવી હતી

(10:00 am IST)