Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

રાજપીપળા વડિયા પેલેસ સરકારી કવાર્ટરના બે મકાનોમાં ચોરીના ઇરાદે ઘુસેલા તસ્કરોને વીલા મોઢે પરત ફર્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કાળિયાભૂત મંદિર પાસે આવેલા વડિયા પેલેસ સરકારી કવાર્ટરમાં ચોરીના ઇરાદે ઘસેલા તસ્કરો ખાલી હાથે પરત ફર્યા હોવાની સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે
સ્થાનિકોના જણાવ્યા મુજબ વડિયા પેલેસ સરકારી હેડ ક્વાર્ટરમાં સરકારી કર્મચારીઓ રહેતા હોય તાજેતરમાં બે મકાનોના દરવાજાના નકુચા તોડી તસ્કરો ઘરમાં ઘુસ્યા હતા જોકે આ બંને ક્વાર્ટર બંધ હતા અને ખાસ કોઇ સામાન ન હોવાથી તસ્કરોનો ફેરો જાણે માથે પડ્યો હોય તેમ એક મકાનમાંથી સોનાના દાગીના સમજી બગસરાની વસ્તુઓ ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું છે જોકે આ ઘટનામાં કઇ ખાસ ચોરી થઈ ન હોવાથી પોલીસ ફરીયાદ થઈ નથી પરંતુ મકાનમાં રહેતા વ્યક્તિઓએ રાજપીપળા પોલીસમાં જાણ કરી પેટ્રોલિંગ વધારવા માંગ કરી હતી.

(10:49 pm IST)