Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

અશ્વિન કોટવાલ ભાજપમાં નહિ જોડાય તેવો પૂરો વિશ્વાસ છે :વિપક્ષ નેતા સુખરામ રાઠવા

આદિવાસી સમાજની રેલીમાં હાજર કેમ નહિ ? વિપક્ષ નેતાએ કહ્યું - દિકરાને લઈને તેઓ બહાર ગયા હતા જેની મંજૂરી પણ પ્રદેશ પ્રમુખની લીધી હતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસના વધુ એક દિગ્ગજ ધારાસભ્ય નારાજ હોવાની વાત સામે આવી છે. ખેડબ્રહ્માના ધારાસભ્ય કોંગ્રેસથી નારાજ છે તેવી વાત સામે આવી છે. ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસ દ્વારા હાલ મનાવવામાં પ્રયાસ થઈ રહ્યા છે. સુખરામ રાઠવા અને અશ્વિન કોટવાલ અરવલ્લીના પ્રવાસ દરમિયાન સાથે જોવા મળ્યા હતા

વિપક્ષ નેતાએ કહ્યું હતું કે કોંગ્રેસના વફાદારા માણસો છે ભાજપમાં નહીં જોડાય એવો મને ચોક્કસ વિશ્વાસ છે. કાલે આદિવાસી સમાજની રેલી હતી ત્યારે આદિવાસી નેતા અશ્વિન કોટવાલ કેમ હાજર નહોતા આ વાતને લઈને તેમણે જણાવ્યું કે, એમના દિકરાને લઈને તેઓ બહાર ગયા હતા જેનું મંજૂરી પણ પ્રદેશ પ્રમુખની લીધી હતી એટલા માટે કોઈ પ્રશ્ન નથી તેવું તેમણે જણાવ્યું હતું.

આ વાત તેમને મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું પરંતુ તેઓ બીજેપી સાથે જોડાઈ શકે છે આ વાતને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. અગાઉ તેમની બેઠક કદાચ થઈ હોવાનું પણ માનવામા આવી રહ્યું છે.

(9:30 pm IST)