Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

પરપુરુષ સાથે સબંધ માટે વિધવા માતાનો સંતાનો પર અત્યાચાર :મામલો અમદાવાદ પોલીસ સ્ટેશને પહોંચ્યો

બીજા પુરુષ સાથે સંબંધ રાખવા બે દિકરાને અગાશી પર મોકલી દેતી ;પતિએ પણ કંટાળી આપઘાત કર્યો હતો

અમદાવાદમાં એક માતાના ત્રાસથી તેના બે દિકરા તેની સાથે રહેવા માંગતા નથી.પરપુરુષ સાથે સંબંધ રાખનાર વિધવા માની અય્યાશીને જોઇ જતા સંતાનોને તેની માતા અનહદ ત્રાસ આપતી. તઆ સમગ્ર મામલે અમરાઇવાડી પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

   અમદાવાદના અમરાઇવાડીમાં રહેતી વિધવા મહિલાની વિધવા પણ એટલા માટે થઇ કારણકે તેની વાસનાની ભૂખ પરપુરુષ સાથેના સંબંધોથી પતિએ આપઘાત કર્યો હતો. ત્યારબાદ બીજા પુરુષ સાથે સંબંધ રાખવા બે દિકરાને અગાશી પર મોકલી દેનાર આ મહિલા.જો સંતાનો નીચે આવે તો તેના પર અત્યાચાર કરતી હતી.

   અમદાવાદમાં આ  મહિલાની ફરિયાદ માટે પીડિત પરિવાર અમરાઇવાડી પોલીસ મથક પહોંચ્યો હતો. અને આ વિધવા પુત્રવધૂ સામે ફરિયાદ નોંધાવી હતી.

   આરોપી મહિલા સાથે હવે તેના બંને દિકરા રહેવા માંગતા નથી. કારણકે અય્યાશ માના અત્યાચારથી દિકરા કંટાળી ગયા છે. આરોપી મહિલાનો પતિ આ મહિલાની અય્યાશીનાથી કંટાળીને આપઘાત કર્યો હતો. ત્યારે તેણે સ્યુસાઇડ નોટમાં આ અંગે લખાણ પણ લખ્યુ હતું. ત્યારે હવે આ સમગ્ર મામલે ફરિયાદ થઇ છે.

(11:06 pm IST)