Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

આણંદની બોરસદ ચોકડી નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતા અસ્થિર મગજના શખ્સને 3 લોકોએ માર માર્યો

આણંદ:માં બોરસદ ચોકડી એકતાનગર ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા જગદીશભાઇ બાબુભાઇ દેવીપૂજક છેલ્લા ઘણાં સમયથી માનસિક અસ્થિર છે. 
જેઓ ગતરોજ વિસ્તારમાં રહેતા મોહનભાઇ પરબતભાઇ દેવીપૂજકના ઘરે જમવાનું માંગવા બૂમો પાડતા હતા. જેને લઇ ગુસ્સે ભરાયેલા મોહનભાઇ અને તેમના બે પુત્ર મયુર અને ભરતે ગાળો ભાંડીને જગદીશભાઇને લાકડીના દંડાને વડે માર માર્યો હતો. જેથી તેઓને શરીરના ભાગે ઈજાઓ થતાં હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ અંગે આજે આણંદ શહેર પોલીસે રાખીબેન નટુભાઇ દેવીપૂજકની ફરિયાદ આધારે ત્રણ શખ્શો વિરુધ્ધ ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

(4:58 pm IST)