Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

સુરતના કેબલ બ્રીજનું ઉદઘાટન કરવા નહિ આવે વડાપ્રધાન ;પીએમઓ દ્વારા અપાયો જવાબ ;કહ્યું પીએમ વ્યસ્ત છે

સુરત :સુરત મહાનગર પાલિકાએ તાપી નદી પર ડ્રીમ પ્રોજેક્ટ એવા કેબલ બ્રિજ બનાવ્યો છે. આ બ્રિજ તૈયાર થઇ ગયો છે. આ બ્રિજના ઉદ્ધાટન માટે પીએ મોદીને મેયર જગદીશ પટેલ દ્વારા આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. પરંતુ પીએમ મોદી દ્વારા આ બ્રિજનું ઉદ્ધાટન કરવામાં આવશે નહીં.

  મેયર જગદીશ પટેલ દ્વારા મોકલવામાં આવેલા આમંત્રણનો PMO ઓફિસમાંથી જવાબ આવ્યો છે. જેમાં લખ્યું હતું કે હાલ પીએમ મોદી તેમના કામમાં વ્યસ્ત છે. અને આગામી લોકસભા ચૂંટણીને લઇને વ્યસ્ત શિડ્યૂલ હોવાથી તેઓ બ્રિજના ઉદ્ધાટનામાં આવી શકશે નહીં.

(1:58 pm IST)