Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

૪ સનદી અધિકારીઓની જિલ્લા પ્રભારી સચિવ તરીકે નિમણૂંક

રાજકોટઃ રાજય સરકારે  આઇએએસ કેડરના સચિવ કક્ષાના ૪ અધિકારીઓની  સેક્રેટરી ઇન્ચાર્જ ઓફ ધી ડીસ્ટ્રીકટ (પ્રભારી સચિવ) તરીકે નિમણૂંક કરી છે. મેરીટાઇમ બોર્ડના સીઇઓ શ્રીમતી અવંતિકાસિંઘ આલોકને આણંદ, ગ્રામ વિકાસ સચિવ વિજય નહેરાને બનાસકાંઠા, સહકાર સચિવ એન.બી.ઉપાધ્યાયને જામનગર અને નગરપાલીકાઓના કમિશનર રાજકુમાર બેનીવાલને પંચમહાલ જિલ્લામાં પ્રભારી સચિવ તરીકે નિમણૂંક આપવામાં આવી છે. તેઓ સમગ્ર વહીવટી કામગીરી પર સંકલન અને દેખરેખ રાખશે.

(4:13 pm IST)