Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

કચ્છ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નરેશ મહેશ્વરીનું ફેફસાની બીમારીથી દુઃખદ નિધન

અમદાવાદમાં સારવાર હેઠળ હતા, સાંસદની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા

(ભુજ) કચ્છ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નરેશ મહેશ્વરીનું આજે દુઃખદ નિધન થયું છે. ૫૫ વર્ષીય નરેશ મહેશ્વરી હમણાં ફેફસાના ઇન્ફેક્શનથી પીડાતા હતા. સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા. તેઓ વેન્ટિલેટર પર હતા. એનએસયુઆઈથી  કારકિર્દી શરૂ કરનાર નરેશ મહેશ્વરી માધાપર ગ્રામપંચાયતથી સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા બાદ કચ્છ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. છેલ્લે કોંગ્રેસ તરફથી સાંસદની ચૂંટણી લડ્યા હતા. લડાયક અને બોલકા નેતા એવા નરેશ મહેશ્વરી કચ્છના તમામ પત્રકારો સાથે પણ સારો ઘરોબો ધરાવતા હતા. કચ્છી મહેશ્વરી સમાજના આગેવાન હતા. તેમને કચ્છના રાજકીય અને સામાજિક આગેવાનોએ શ્રદ્ધાંજલી અર્પણ કરી છે. કચ્છ કોંગ્રેસે એક ઝુઝારું યુવા નેતા ગુમાવ્યા છે.

(2:28 pm IST)