Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

આણંદ તાલુકાના ખેરડા ગામે વડવાળા ફળિયામાં નજીવી બાબતે થયેલ દંપતીના ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું: પતિએ પત્નીની ધારિયાના ઘા જીકી ઘાતકી હત્યા કરતા અરેરાટી

આણંદ: તાલુકાના ખેરડા ગામે આવેલા વડવાળા ફળિયામાં ગત ૨૩મી તારીખના રાત્રીના સુમારે પાડાના વેચાણના પૈસા બાબતે પતિ-પત્ની વચ્ચે તકરાર થતાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ધારીયાનો ઝટકો માથાના ભાગે મારી દેતાં સારવાર દરમ્યાન મોત થયું હતુ. અંગે ખંભોળજ પોલીસે ગુનો દાખલ કરીને પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

મળતી વિગતો અનુસાર સાવલી તાલુકાના સામતપરા ખેતરમાં રહેતી સુમનબેન ઉર્ફે સુમિત્રાબેનના લગ્ન ૧૬ વર્ષ પહેલ ખેરડા ગામે રહેતા અજયસિંહ ઉર્ફે સોમાભાઈ ગણપતભાઈ પરમાર સાથે થયા હતા. સુખી લગ્નજીવનના ફળસ્વરૂપે એક પુત્ર અને પુત્રીનો જન્મ થયો હતો. ખેરડા ગામના એક મકાનમાં સુમનબેનની સાસુ અલગથી રહેતા હતા. ૨૧મી તારીખના રોજ અજયસિંહ ઉર્ફે સોમાભાઈએ ૩૫૦૦ રૂપિયામાં પાડો વેચ્યો હતો અને પૈસા પોતાની માતાને આપ્યા હતા. જે બાબતે સાસુ-વહુ વચ્ચે પણ ચકમક ઝરી હતી

(2:47 pm IST)