Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

અમદાવાદમાં ફાયર વિભાગમાં વધુ એક જવાન કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે ખસેડવામાં આવ્યા

અમદાવાદ:ફાયર વિભાગનો વધુ એક જવાન કોરોના પોઝિટિવ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. અગાઉ ચાર જવાનો પોઝિટિવ બનતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, જશોદાનગર ફાયર સ્ટેશનના પાંચ જવાનોને તાવ આવતો હતો એમના કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા ત્રણના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

            ઉપરાંત હજુ બે જવનોના રિપોર્ટ આવવાના બાકી છે. પાંચ કુવા ફાયર સ્ટેશનના એક જવાન પોઝિટિવ થતા કેન્સર કોવિડ કેરમાં દાખલ કરવામાં આવેલ છે તરફ શહેરના મણિનગર ફાયર સ્ટેશનના વધુ એક જવાન કોરોના પોઝિટિવ થતા એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

(5:56 pm IST)