Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

સાંખ્યયોગી શ્રી લીલાબાના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર દ્વારા બાપુનગરમાં ઉજવાયેલ મહિલા સત્સંગ પર્વ. રાજમાર્ગ પર નીકળેલ ભવ્ય શોભાયાત્રા

અમદાવાદ :   ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી લાંબા સમય બાદ કોરોના મહામારીનો સમય પસાર થયા બાદ સાં.યો.લીલાબાની પુનિત પ્રેરણા અને ઉપસ્થિતિમાં અમદાવાદ બાપુનગર ખાતે ભક્તિભાવ અને દિવ્યતાસભર શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર પર્વ તા.૧૩-૯ થી તા.૧૯-૯ દરમ્યાન ઉજવવામાં આવેલ.

  કાર્યક્રમની શરુઆતે ગજેરા વિપુલભાઇના નિવાસથી કથા સ્થાન સુધી ભવ્ય પોથાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં નૃત્ય કરતી બાલિકાઓ, બહેનોની ધૂન મંડળી, વગેરે જોડાયા હતા.

  ઉત્સવ દરમ્યાન રાધાષ્ટમી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. ઉત્સવ દરમ્યાન સાંખ્યયોગી રેખાબેન નાનાએ વ્યાસાસને આરુઢ થઇ શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરની કથાનું પાન કરાવ્યું હતુ.

મહિલા સંત્સંગ પર્વની તમામ વ્યવસ્થા પાર્ષદ માયાબેન સુપેરે સંભાળી હતી.

 

 

(12:22 pm IST)