Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

આગામી તા. ર૮-૮-૧૯ થી તા. ૧-૯-૧૯ દરમિયાન એસજીવીપી ગુરૂકુલ રીબકડાના આંગણે વચનામૃત સત્ર સાથે પૂ. જોગી સ્વામી આઠમી પૂણ્યતીથિ ઉજવાશે

રાજકોટ : આગામી નવેમ્બર માસમાં વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની સાનિધ્યમાં અને વડતાલ કોઠારી સ્વામીની આગેવાની નીચે વડતાલ ખાતે ભગવાનશ્રી સ્વામિનારાયણ રચિત વચનામૃત દ્વિશતાબદીની ઉજવણીની તડામાર તૈયારી થઇ રહી છે. ત્યારે એસજીવીપી શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ શ્રી નૂતન શાખા શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલ રીબડા ખાતે. શા માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા, પુરાણી, ભકિતપ્રકાશદાસજી, સ્વામીની સાનિધ્યમાં અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને શા. ધર્મવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે અગાામી તા. ર૮-૮-૧૯ થી ૧-૯-૧૯ દરમિયાન સવારે ૮ થી ૧ર સુધી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે તથા અ.નિ.અખંડ ભગવત પરાયણ પૂજય જોગી સ્વામી આઠમી પુણ્ય તિથી નિમિત્તે વચનામૃત સત્રનું આયોજન કરવામાં આવેલ છે.

વચનામૃતને આધારે દરરોજ બપોર પછી ૪ થી ૭-૩૦ દરમિયાન વચનામૃત ગોષ્ઠ, મુખપાઠ, પ્રશ્નોતરી વગેરે શામજીભગતના માર્ગદર્શન નીચે રાખવામાં આવેલ છે. સત્રમાં જોડાવનારે અગાઉ ગુરૂકુલમાં નામ ઓફિસમાં નોંધાવા વિનંતી છે.

વધારે વિગત માટે મો. નં. ૯૭ર૭૭ ૦૭૦૭૩ અને ૯૮૭૯૦ ૦૦૯પપ ઉપર સંપર્ક કરવા શા. ધર્મવત્સવલદાસજી સ્વામીની યાદીમાં જણાવાયું છે.

(12:30 pm IST)