Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવા પર્સનલ ખીસ્સામાંથી આપ્યો ફાળો

 

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરી હતી. અંબાજી મંદિર શિખરને સુવર્ણમય અને યાત્રિકોની સુવિધાઓ અંગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને કલેકટર તથા વહીવટદાર સાથે ચર્ચા કરી હતી.

    મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી મંદિર સુવર્ણમય શિખર બનાવવા માટે રૂ. ૩૧૦૦૦ નું દાન આપ્યું હતું.

  મુખ્યમંત્રીઓ સવારની આરતીમાં બેસી દર્શન અને પૂજા અર્ચન કર્યા બાદ ગબ્બર પર જઇ માતાજીના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ અવસરે જણાવ્યું કે ગુજરાતની અને દેશની પ્રગતિ, સુખ સમૃદ્ધિ વધે તે માટે માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા છે.

(10:48 pm IST)