Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ઉત્તર ગુજરાતના સાધુ સંતોએ શહીદોના પરિવારજનો માટે 22 લાખનું દાન કર્યું

મહેસાણાના ભીમનાથ મંદિર પરિસરમાં નાતાબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની હાજરીમાં ડિમાન્ડ ડ્રાફ્ટ અર્પણ

 

મહેસાણા;ઉત્તર ગુજરાતના સાધુ સંતોએ પુલવામાં હુમલામાં શહીદોના પરિવારજનો માટે 22 લાખનું ડેન કર્યું છે મહેસાણાના ભીમનાથ મંદિર પરિસરમાં ઉત્તર ગુજરાતના સંતોએ પુલાવામાનાં શહિદોના પરિવાર પરિવારજનો માટે 22 લાખ રૂપિયાનું દાન કર્યુ હતુ..ત્યારે નાયબ મુખ્યમંત્રીને ભીમનાથ મંદિરમાં સંતોની હાજરીમાં ડિમાન્ડ ડ્રાફ્ટ આપવામાં આવ્યો હતો. છે

   ઉત્તર ગુજરાત વૈષ્ણવ સંત પરિસદ દ્વારા 5 લાખની રકમ એકત્રિત કરવામાં આવી હતી. જ્યારે સંતો દ્રારા એકત્રિત કરવામાં આવેલી રકમને શહીદો ખાતે અર્પણ કરવામાં આવી હતી.

ઉત્તર ગુજરાતનાં પટ દર્શન સંતોએ 8 લાખ 93 હજાર 245 ની રકમ એકત્રિત કરી હતી..જયારે સન્યાસી સંત પરિસદે 8 લાખ 22 હજાર 803 ની રકમ એકઠી કરીને શહીદોના પરિવારજનોને આપી હતી..

(10:39 pm IST)