Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

મા અંબાના દરબારમાં શિશ ઝુકાવતા વિજયભાઈ- અંજલીબેન

અંજલીબેનનો આજે જન્મદિવસ છેઃ રાજયભરમાંથી શુભેચ્છાવર્ષા

અમદાવાદઃ લોકસભા અને ચાર વિધાનસભાની પેટાચૂંટણી ગુજરાતમાં પૂરી થતાં નેતાઓએ રાહતનો શ્વાસ લીધો છે. ગઈકાલથી જ નેતાઓ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પરિવાર સાથે શકિતપીઠ અંબાજીમાં માતાજીના દર્શન કર્યા હતા. લોકસભાની ચૂંટણીના મતદાન બાદ મુખ્યમંત્રી વિજયભાઈએ ધર્મપત્ની અંજલીબેન અને પરિવાર સાથે માતાજીના આશીર્વાદ લીધા હતા. ગઈકાલે રાત્રે પરિવાર સાથે મુખ્યમંત્રી અંબાજી પહોચ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પત્ની અંજલીબેન સાથે આજે સવારે અંબાજી મંદીરમાં વિશેષ પૂજા અર્ચના કરી હતી. તેમણે નીજ મંદિરમાં કપૂર આરતી પણ કરી હતી. મહત્વનું છે કે વિજયભાઈ રૂપાણી પત્ની સાથે અનેકવાર અંબાજી માતાનાં શરણે આવે છે.  આજે સવારે પત્ની અંજલીબેન સાથે વિજયભાઈ રૂપાણીએ વહેલી સવારે મા અંબાનાં દર્શન કર્યા હતા. આ સમયે મંદિરનાં મહારાજ દ્વારા સ્મૃતિ ચિન્હ અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ માતાજીને પ્રસાદ ચઢાવીને આરતી પણ કરી હતી.

મહત્વનું છે કે ચૂંટણીની વ્યસ્તતા પછી તેમણે મા અંબાનાં શરણે માથુ ઝુકાવ્યું છે. થોડા સમય પહેલા ચૂંટણીનાં પ્રચાર દરમિયાન પણ મુખ્યમંત્રી વિજયભાઈએ પત્ની સાથે અંબાજીમાતાના દર્શન કર્યા હતા. જોગાનુજોગ આજે અંજલીબેનનો જન્મદિવસ પણ છે.

મુખ્યમંત્રીની પાયલોટીંગ કારને અકસ્માત નડયો

રાજકોટ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પાયલોટીંગ કારને અકસ્માત નડયો છે. અંબાજી દર્શન કરી પાછા ફરતી વેળાએ મુખ્યમંત્રીની મોટર નિકળી ગયા પછી આ પાયલોટીંગ કારને અકસ્માત નડેલ હોવાનું જાણવા મળે છે વધુ વિગતો મેળવાઇ રહી છે.

(3:53 pm IST)