Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

હિંમતનગરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાતની ઘટનામાં ભરખમ વધારો: આંકડો સાતને પાર કરી ગયો

હિંમતનગ: શહેર ના ઝહીરાબાદ વિસ્તારમાં રહેતા એક ઈસમે વ્યાજખોરો પાસેથી રીક્ષા લાવવા માટે અંદાજે રૃા.૪૦ હજાર વ્યાજે લીધા બાદ તે સમયસર ભરપાઈ કરી શકતા વ્યાજખોરોના ત્રાસથી તંગ આવી જઈ બે દિવસ અગાઉ તેણે ઝેરી દવા પી લીધી હતી ત્યાર બાદ શુક્રવારે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ જે અંગેની ફરીયાદ શનિવારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 પાંચેક માસ અગાઉ હિંમતનગરના કિફાયતનગરમાં રહેતા મહેબુબભાઈએ રીક્ષા લેવા માટે આજ વિસ્તારમાં રહેતા આરજુ ફાઈનાન્સ (મહિલા મંડળ લોન) વ્યાજનો ધંધો કરનાર સાત જણા પાસેથી વ્યાજે લીધા હતા.

(5:48 pm IST)