Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

જીવનની યાત્રામાં ઇર્ષાને છોડશો તો સફળ થશો : પૂ. મોરારીબાપુ

ઉત્તરપ્રદેશમાં આયોજીત શ્રીરામકથાનો ત્રીજો દિવસ

રાજકોટ તા ૨૫  : '' જીવનની યાત્રામાં ઇર્ષાને છોડશો તો સફળ  થશો '' તેમ પૂ. મોરારીબાપુએ ઉત્તરપ્રદેશમાં આયોજીત શ્રીરામકથાનાં ત્રીજા દિવસે કહ્યું હતું.

પૂ. મોરારીબાપુએ રામતત્વ વિશેનાં પ્રસંગો વર્ણવ્યા હતા અને ઉપનિષદ અંગે શ્રોતાઓને માહીતગાર કર્યા હતા.

શનીવારથી પૂ. મોરારીબાપુના વ્યાસાસને ધ ઇન્ડીયન વુડ પ્રોડકટ કાું.લી. ગ્રાઉન્ડ, ઇજંતાનગર, નૈનીતાલ રોડ, બરેલી, ઉત્તરપ્રદેશ ખાતે શ્રીરામકથાનો  પ્રારંભ થયો છે.

જેમાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો કથાનું રસપાન કરી રહ્યા છે.

(4:28 pm IST)