Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

અમિતભાઈને ટક્કર આપવાની વાત પર પૂર્ણવિરામ :શંકરસિંહે કહ્યું, 'હું લોકસભાની ચૂંટણી લડવાનો નથી

બાપુએ કહ્યું હું કિંગ નહીં કિંગમેકરની ભૂમિકામાં છું.

અમદાવાદ : લોકસભાની ચૂંટણી માટે ભાજપે ગાંધીનગર બેઠક પરથી ભાજપનાં રાષ્ટ્રિય અધ્યક્ષ અમિતભાઈ  શાહને મેદાને ઉતાર્યાં છે. હાલ ગાંધીનગરમાંથી ભાજપનાં માર્ગદર્શક લાલ કૃષ્ણ અડવાણી સાંસદ છે.દરમિયાન વેઇ ચર્ચા હતી કે એનસીપી ગાંધીનગર બેઠક પર પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાને ઉતારી શકે છે

  . સૂત્રોનું માનીએ તો ગુજરાત એનસીપીએ દિલ્હી હાઇકમાન્ડ સમક્ષ રજુઆત કરી છે કે શંકરસિંહ વાઘેલા લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતારે. જોકે આ વાતને અટકાવતા શંકરસિંહે કહી દીધું છે કે, 'હું લોકસભાની ચૂંટણી નથી લડવાનો. હું કિંગ નહીં કિંગમેકરની ભૂમિકામાં છું.'

(12:40 pm IST)