Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

અંક્લેશ્વર શહેરમાંથી બે વર્ષ અગાઉ ભાગીજનાર સગીર કીશોરી તથા ભગાડી જનાર યુવાનને અમદાવાદ માંથી ઝડપી પાડતી LCB ભરૂચ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસએ જિલ્લામાં ગુમ -અપહરણ થયેલ બાળકો-બાળકીઓને શોધી કાઢવા આપેલ સુચના આધારે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડી.પી.વાઘેલાના માર્ગદર્શન મુજબ એલ. સી. બી. પોલીસ એ જીલ્લામાં ગુમ-અપહરણ થયેલ સગીર બાળક-કીશોરીઓ લાંબા સમય સુધી મળી આવેલ ન હોય તેમને શોધી કાઢવા તાબાના પોલીસની અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ અને અંકલેશ્વર શહેર પો.સ્ટે. ના ગુનામાં ભોગ બનનાર તથા આરોપી ન મળી આવેલ હોય આ ગુનાની વધુ તપાસ એલ.સી.બી. શાખા (AHTI) માં મળેલ હતી

  આ ગુનાના કામે બનાવેલ ટીમેં હ્યુમન ઇન્ટેલિ જન્સીથી મળેલ બાતમી આધારે ગુનાના કામના આરોપી જિગરભાઈ S/o પ્રવીણ ભાઇ ઉર્ફે અક્ભાઈ જાદવ (રહે.ઇન્દિરાનગર વિભાગ-૨ લાંભા તા. દસકોઈ,જી.અમદાવાદ ) તથા ભોગ બનનારને લાભાં ગામ, અમદાવાદ શહેર ખાતેથી પકડી પાડી વધુ તપાસ તથા કાર્યવાહી સારૂ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.

(3:11 pm IST)