Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

નડિયાદ નજીક વડતાલમાં દાદા-દાદી પાસે રહેતી 19 વર્ષીય યુવતી અગમ્ય કારણોસર ગૂમ થઇ જતા ચકચાર

નડિયાદ:નડિયાદ પાસેના એક ગામે પોતાના દાદા-દાદી પાસે રહેતી એક ૧૯ વર્ષીય યુવતી લાપતા બની છે.દાદા-દાદી મંદિરે દર્શન કરવા ગયા આ દરમ્યાન તેઓની પૈત્રી રહસ્યમય રીતે લાપતા બનતા આ વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. આ અંગે સ્થાનિક પોલીસ મથકે ગુમ જાણવાજોગની નોંધ થઈ છે.
તાલુકાના વડતાલ ગામે ગોપાલભાઈ જેઠાભાઈ ખેર રહે છે. તેમના દિકરા મેહુલભાઈ પોતે વ્યવાસીયક કામ અર્થે અમદાવાદના બાપુનગરમાં રહે છે. મેહુલભાઈની ૧૯ વર્ષીય દિકરી અવીનાબેન પોતાના દાદા-દાદી સાથે વડતાલમાં રહે છે. અવીના નાનપણથીજ પોતાના દાદા-દાદી સાથે રહેતી હતી. ત્યારબાદ તેણી થોડા સમય અગાઉ પોતાના પિતાના ઘરે ગઈ હતી. જ્યાંથી ચાર એક દિવસ અગાઉ અવીન પોતાના દાદાના ઘરે વડતાલમાં આવી હતી. ગુરૃવારની સવારે ૭ વાગ્યાની આસપાસ ગોપાલભાઈ અને તેમની પત્ની વડતાલ મંદિરે દર્શન કરવા ગયા હતા.દરમ્યાન એકાએક અવીનાબેન પોતાના ઘરેથી રહસ્મય રીતે લાપતા બન્યા હતા. પરત ફરેલા દાદા-દાદીએ પોતાની પૌત્રીન શોધખોળ આદરી હતી. પરંતુ મોડી સાંજ સુધી તેણીનો કોઈ પતો લાગ્યો નહોતો. આથી ચિંતાતુર બનેલા  ગોપાલભાઈએ તુરંત પોતાના દિકરા મેહુલને આ અંગે જાણ કરતા મેહુલભાઈએ આ સંદર્ભે ચકલાસી પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુમ જાણવાજોગની નોંધ કરી આગળની તપાસ આદરી છે.

 

(5:45 pm IST)