Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

માળીયા-અમદાવાદ હાઇવે પર બે કાર વચ્ચે ગોઝાર અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળેજ મોત: ચાર લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદ:માળીયા-અમદાવાદ હાઇવે ઉપર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

મળતી માહિતી પ્રમાણે માળિયા-અમદાવાદ હાઇવે ઉપર આવેલા અણિયાણી ટોલનાકા પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો જેના કારણે એક કારનો કૂડદો બોલાઇ ગયો હતો. આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા. ઘટલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળા એકઠાં થઈ ગયા હતા. બે કાર ધડાકાભેર અથડાતા બંને એક કારના સાવ ભુક્કા બોલાઇ ગયા હતા.

 

(5:41 pm IST)