Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

પ્રજા અને પશુ માટે તંત્ર કેટલું સંવેદનશીલ ?

છેલ્લા પાંચ વર્ષમાં ગૌવંશ પર એસિડ છાંટવાના કુલ ૧૨ બનાવો ૮ જિલ્લાઓ માંથી સામે આવ્યા

અમદાવાદઃ વિધાનસભાની પ્રશ્નોત્ત્।રીમાં રાજય સરકારે આજે જવાબ રજુ કર્યો હતો કે છેલ્લા ૫ વર્ષમાં ગાય, ભેંસ, અને બળદ જેવા પશુઓની ચોરીના કુલ ૧૦૬૯ બનાવો રાજયમાં નોંધાયા છે જે પૈકી ૫૫૬ ગુન્હાઓ ઉકેલવામાં આવ્યા છે બાકીના ગુન્હાઓ ઉકેલવાના બાકી છે આ ઉપરાંત આ ગુન્હાઓ હેઠળ ૧૭૨૫ આરોપીઓ પકડાઈ ચુકયા છે અને ૧૫૪ આરોપીઓ હજુ પકડવાના બાકી છે પશુચોરીના કેસો બાબતે આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં દરવર્ષે અન્ય વિસ્તારો સહીત કેસો નોંધાય છે.

 આ ઉપરાંત છેલ્લા ૫ વર્ષમાં ગૌવંશ પર એસિડ છાંટવાના કુલ ૧૨ બનાવો ૮ જિલ્લાઓમાંથી સામે આવ્યા હતા. આ જિલ્લાઓમાં જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરાનો સમાવેશ થાય છે ગૌવંશ ઉપર એસિડ છાંટવાના કેસોમાં અત્યાર સુધીમાં કુલ નવ આરોપીઓને પકડાયા છે અને બાકીના આરોપીઓ હજુ પકડવાના બાકી છે.

 ભાજપ શાસિત ગુજરાતમાં આજકાલ લોકોની સલામતીનો મુદ્દો અવારનવાર ઉઠી રહ્યો છે ત્યારે પોલીસની કામગીરી ઉપર પણ શંકા થઇ રહી છે ત્યારે ભાજપના રાજમાં પશુઓ પણ પણ સલામત નથી. વિધાનસભામાં આજે રાજય સરકારે રજૂ કરેલા જવાબ મુજબ ૩૧-૧૨-૨૦૧૯ની પરિસ્થિતિએ છેલ્લા ૫ વર્ષમાં ગુજરાતમાં પશુચોરીના ૧૦૬૮ કેસો નોધાંય છે જે પૈકી ૫૫૬ ગુન્હાઓ ઉકેલવામાં આવ્યા છે.  (૪૦.૧૧)

 

વર્ષ પ્રમાણે પશુચોરી

વર્ષ

કેસ

૨૦૧૫

૨૩૦

૨૦૧૬

૨૭૭

૨૦૧૭

૧૯૩

૨૦૧૮

૧૫૫

૨૦૧૯

 ૨૧૪

કુલ

૧૦૬૮ 

(4:22 pm IST)