Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

કાનજી સંપ્રદાયના રાષ્ટ્રીય અધ્યક્ષ-વરદા ગાદીપતિ મહંતનું માર્ગ અકસ્માતમાં નિધનથી શોકનો માહોલ

મહિન્દ્રા મારઝોના ચાલકેટક્કર મારતા હોન્ડા અમેઝ કારમાં સવાર મહંત ભીમસિંહ ચૌહાણનું નિધન અગ્રણીઓ અને તેમના અનુયાયીઓ શામળાજી પહોંચ્યા

 

અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે શામળાજી પાસે કાર અકસ્માતમાં કાનજી સંપ્રદાયના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વરદા ગાદીપતિ મહંત ભીમસિંહ ચૌહાણનું મોત નીપજ્યું હતું. શામળાજી નજીક સુનોખ પાટિયા નજીક મહિન્દ્રા મારઝોના ચાલકે સામેથી હોન્ડા અમેઝ કાર ને ધડાકાભેર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હોન્ડા અમેઝ કારમાં સવાર અખિલ ભારતીય કાનજી સંપ્રદાયના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વરદા (રાજસ્થાન) ગાદીપતિ મહંત ભીમ સિંહ ચૌહાણના શરીરે જીવલેણ ઈજાઓ થતા તાબડતોડ સારવાર અર્થે શામળાજી રેફરલ હોસ્પિટલમાં ખસેડાતા સારવાર કારગત નીવડે તે પહેલા પ્રાણ મોત નિપજતા શોકની કાલિમા છવાઈ ગઈ હતી.

જ્યારે આ અકસ્માતમાં કાર ચાલક અને અમદાવાદ ઘાટલોડિયા સતાધાર કોમ્પ્લેક્ષમાં રહેતા તેમના અનુયાયી અક્ષય રાજેશ ભાઈ શાહના માથાના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા અકસ્માતની ઘટનાની જાણ થતા જ શામળાજી પીએસઆઈ શર્મા અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક પૂર્વરત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

  અખિલ ભારતીય કાનજી સંપ્રદાયના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વરદાના ગાદીપતિ મહંત ભીમસિંહ ચૌહાણનું અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત નિપજતા મોટી સંખ્યામાં સંપ્રદાયના અગ્રણીઓ અને તેમના અનુયાયીઓ શામળાજી ખાતે દોડી આવ્યા હતા અને અચાનક મહંતની વિદાયથી આઘાતમાં સારી પડ્યા હતા. રાજસ્થાનના ડુંગરપુર ના વરદાના ગાદીપતિ અને અખિલ ભારતીય કાનજી સંપ્રદાયના રાષ્ટ્રીય અધ્યક્ષ મહંત ભીમ સિંહ ચૌહાણ તેમના અમદાવાદ ખાતે રહેતા અનુયાયી અક્ષય રાજેશભાઈ શાહની હોન્ડા અમેઝ કારમાં ધાર્મિક પ્રસંગ માં હાજરી આપવા અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે સુનોખ પાસે આ અકસ્માત સર્જાયો હતો.

(7:33 pm IST)