Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

સુરતમાં જુદા જુદા બે વિસ્તારમાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં યુવાન સહીત આધેડે ઘટનાસ્થળેજ દમ તોડયા

 સુરત: શહેરમાં અકસ્માતની બે ઘટનામાં ઇચ્છાપોરમાં ટ્રેલરની અડફટે  બાઇકચાલક આધેડનું મોત થયુ હતુ.જયારે સચીનમાં બાઇક સ્લીપ થતા ઇજા પામેલા બે યુવાન પૈકી એકનું મોત નીંપજયુ હતુ.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ અડાજણગામમાં ખાડી મહોલ્લામાં પંચવટી ખાતે રહેતા 47 વર્ષીય જતીનકુમાર ચંન્દ્રકાન્ત પટેલ સોમવારે બપોરે બાઇક પર હજીરા રોડ પર પરિચિત વ્યકિતને મળીને ઘરે આવવા નીક્ળ્યા હતા.ત્યારે ઇચ્છાપોરમાં ઓ.એન.જી.સી બ્રીજ નીચે રેલવે ફાટક પાસે બાઇકને ટ્રેલરે અડફટે લેતા અકસ્માત થયો હતો.જેમાં તેમને ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયુ હતુ. તે નિવૃત જીવન જીવતા હતા.આ અંગે ઇચ્છાપોર પોલીસે તપાસ હાથ ઘરી છે.બીજા બનાવમાં ગોડાદરામાં જય જલારામનગરમાં રહેતા 45 વર્ષીય કિરણ વિઠ્ઠલ સિરસાઠ અને તેના મિત્ર જ્ઞાાનેશ્વર ધોબી  સોમવારે બપોરે બાઇક પર સચીનના તલંગપુર થી ઘરે આવતા હતા.તે સમયે સચીનના વાંઝગામ અને ખરવાસા તળાવ નજીક બાઇક સ્લીપ થઇ ગઇ હતી.જેમાં બંને ઇજા થઇ હતી.ગંભીર ઇજા પામેલા કિરણભાઇનું મોત થયુ હતુ. કિરણભાઇ મુળ મહારાષ્ટ્રના જલગાંવના વતની હતા. તે હીરાના કામ સાથે  સંકળાયેલા હતા.આ અંગે સચીન પોલીસે તપાસ હાથ ઘરી છે.

(5:21 pm IST)