Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

અંકલેશ્વરના બકરા ચરાવવા ગયેલ સગીરા પર 5 નરાધમોએ નજર બગાડી

અંક્લેશ્વર:ના એક ખોબા જેવડા ગામમાં બકરા ચરાવા ગયેલી ૧૪ વર્ષીય સગીરાને તેના ગામનાં પાંચ નરાધમોએ હવસનો શિકાર બનાવી હોવાની ઘટનાને પગલે પંથકમાં સનસનાટી મચી ગઇ છે. યુવતીને ૧૦૮ ની મદદથી સારવાર અર્થે ભરૃચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

અંક્લેશ્વરનાં એક ગામની સગીર દીકરી બકરા ચરાવવા માટે સવારે ૧૦ વાગે ગામની સીમમાં ગઇ હતી, પરંતુ બપોરનાં ૨ઃ૩૦ વાગ્યા સુધી ઘરે પરત ફરા યુવતીનો ભાઇ તેને શોધવા માટે ગામની સીમમાં ગયો હતો.

સગીરાનાં ભાઇએ સીમમાં કોઇ યુવતી સાથે પાંચ જેટલા હવસખોરો બદ કામ કરી રહ્યા હોવાનું નજરે જોતા તેને નરાધમોને પડકાર ફેંક્યો હતો, અને તમામ ત્યાંથી ફરાર થઇ ગયા હતા, જોકે યુવકે નજીક જઇને જોતા તે યુવતી બીજી કોઇ નહિ પરંતુ તેની બહેન હતી, તેથી ઘટનાથી સ્તબ્ધ બની ગયેલા ભાઇએ હિંમત એકઠી કરીને ગ્રામજનો તેમજ તમના પિતાને જાણ કરી હતી.

વધુમાં ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી યુવતીને સારવાર અર્થે ભરૃચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

ઘટના અંગે અંક્લેશ્વર શહેર પોલીસે ફરિયાદ નોધીને ફરાર નરાધમોને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.

(6:34 pm IST)