Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

વારંવાર રજૂઆતો છતાં ભૂમાફીયાનો ત્રાસ યથાવતઃ અમદાવાદના હનુમાનજી મંદિરના પૂજારીની આત્મવિલોપનની ચિમકી

અમદાવાદઃ અમદાવાદમાં ભૂમાફીયાથી કંટાળીને હનુમાનજી મંદિરના પૂજારીઅે આત્મ વિલોપનની ચિમકી આપતા દોડધામ મચી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના દસક્રોઈમાં આવેલા હનુમાનજીના મંદિરના પૂજારીએ અમદાવાદની કલેકટર કચેરીમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. જેને જોતા કલેકટર કચેરીએ મોટી સંખ્યામાં પોલીસ જવાનો, પીઆઇ, પીએસઆઇને તૈનાત કરાયા છે. ફાયર અને એમ્બ્યુલ્સ પણ કલેકટર કચેરીમાં હાજર રખાઈ છે. મંદિરના પૂજારીને છેલ્લા કેટલાક સમયથી આજુબાજુના ઈસમો દ્વારા જગ્યા ખાલી કરવવા દબાણ કરવામાં આવતું હતું. જેનાથી કંટાળી તેમણે કેટલીક વાર પોલીસમાં અરજી કરી હતી. પરંતુ પોલીસ એક્શન લેતી હોવાથી પૂજારીએ કંટાળીને આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

(5:22 pm IST)