Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

વિરમગામની નિલકી પ્રાથમિક શાળાના આચાર્ય ભરતભાઈ પ્રજાપતીનો વિદાય સમારંભ યોજાયો

શાળા પરિવાર દ્વારા વિદાયમાન આચાર્યને ફુલહાર સાલ શ્રીફળ તથા ભેટ આપી વિદાય અપાઈ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ: અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના નિલકી ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ભરતભાઈ ચતુરભાઈ પ્રજાપતિ તારીખ 31/10/19 ના રોજ વયનિવૃત થનાર હોવાથી તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પે સેન્ટરના આચાર્ય તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

  ભરતભાઈ પ્રજાપતિ એ કર્મભૂમિ શાળાને 5100 તથા શિક્ષક સંઘને 5100 રૂપિયાનું દાન આપી ઋણ અદા કર્યું હતું. આ ઉપરાંત શાળાના વિધાર્થીઓને ત્રણ દિવસ સુધી તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. વિદાય સમારંભના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો તથા શુભેચ્છકોએ ભરતભાઈને સુખી તથા લાંબા આયુષ્ય સાથે સારી તંદુરસ્તી ની શુભકામના પાઠવી હતી. શાળાના નવનિયુક્ત આચાર્ય નિમિષાબેન વાઘેલા તથા શાળા પરિવાર દ્વારા વિદાયમાન આચાર્યને ફુલહાર સાલ શ્રીફળ તથા ભેટ આપી વિદાય આપી હતી

(7:08 pm IST)