Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

અમદાવાદમાં 'ખાદીસરીતા'માં ખાદીના વેચાણમાં ગત વર્ષ કરતાં ૧૫ ટકાનો વધારો

શોરૂમનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન થયુ હતુઃ ખાદીગ્રામો ઉદ્યોગ, હસ્તકલા જેવી અનેક વસ્તુઓઃ દિપેશ બક્ષી

રાજકોટઃ તા.૨૩, અમદાવાદમાં પોશ વિસ્તારમાં આવેલ લો-ગાર્ડન પાસે ખાદી સરિતમાં ખાદીના વેચાણમાં ગત વર્ષ કરતા આ વર્ષે ૧૫ ટકાનો વધારો  થયો હોવાનું યાદીમાં જણાવાયું છે. અધ્યાધુનિક શોરૂમનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે ઉદ્ઘાટન થયેલ.

રાજકોટના સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિમાં સેવા બજાવતા શ્રી દિપેશ બક્ષીની ખાદી સરિતમાં નિયુકતી કરવામાં આવેલ. શ્રી બક્ષી લોકપ્રિય અને મુદુભાષી છે જેથી ગ્રાહકો સંતોષનો ઓડકાર લઇને જાય છે.

ખાદી સરિતા અમદાવાદ માટે અને ગુજરાત માટે આકર્ષક કેન્દ્ર બન્યું છે. વિવિધ ક્ષેત્રોના આગેવાનો મુલાકાત લઇને સંતોષ વ્યકત કર્યો છે. ખાદી ગ્રામોદ્યોગ, હસ્તકલા જેવી અનેક વસ્તુઓ રાખવામાં આવી હોવાનું શ્રી બક્ષીએ અંતમાં જણાવ્યું છે. (મો.૯૪૨૬૭ ૮૫૭૬૧)

(4:03 pm IST)