Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ભરૂચના ઝાડેશ્વર સ્થિત નિલકંઠેશ્વર નર્મદા નદીના ઘાટ પરથી મહિલા અને પુરુષની લાશ મળી :સ્યુસાઇડ નોટમાં ત્રણના નામ

સ્યુસાઇડ નોટમાં ત્રણના નામ અને સહી જયારે મૃતદેહ બે મળ્યા :ત્રીજી વ્યક્તિની શોધખોળ

ભરૂચના ઝાડેશ્વર સ્થિત નિલકંઠેશ્વર નર્મદા નદીના ઘાટ પરથી એક મહિલા અને એક પુરુષની લાશ મળતા ચકચાર મચી જવા પાંમી છે  ઘાટ પરથી વલસાડ જીલ્લાની એક મહિલા અને એક પુરુષના મૃતદેહ મળી આવ્યા હતા  મંદિરે અને નર્મદા નદીના દર્શન માટે આવતા લોકોએ આ બાબતની પોલીસને જાણ કરી હતી

  ઘટનાની જાણ થતા . પોલીસે ઘટના સ્થળે આવી તપાસ કરતા પાકીટમાંથી સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં ત્રણ લોકોના નામ અને સહી જણાઇ હતી જયારે માત્ર બે મૃતદેહ મળી આવતા પોલિસ ચકરાવે ચડી હતી. પોલિસે ત્રીજી વ્યકિતની શોધખોળ આદરી છે .

(11:37 am IST)