Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

વલસાડના મોટી અને નાનીદાતી ગામના પરિવારોને સસ્તા અનાજની દુકાનેથી અનાજ નહી મળતા મોટી સંખ્યામાં મહિલાઓ મામલતદાર કચેરીએ પહોંચી : રજુઆત કરાઈ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ તાલુકાના મોટી અને નાનીદાતી ગામના મહત્તમ પરિવારોને સસ્તા અનાજની દુકાનેથી અનાજ નહી મળતા સોમવારે મોટી સંખ્યામાં મહિલાઓ વલસાડ મામલતદાર કચેરીએ પહોંચી મામલતદારને રજુઆત કરી હતી અને સસ્તા અનાજની દુકાન ધારક અંગે ફરિયાદ કરી હતી.વલસાડના કાંઠા વિસ્તારમાં દરિયા કિનારે આવેલા મોટી અને નાની દાતી ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાન ધારકો દ્વારા લાંબા સમયથી અનાજ આપવામાં આવતું ન હોવાની ફરિયાદ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ મામલતદાર કચેરીએ પહોંચી હતી.

  મામલતદર સમક્ષ આક્રમક રજૂઆત કરી હતી.કે તેમને બે વર્ષથી અનાજ મળતું નથી,અમે દુકાન સચાલક ને કહીએ તો તે અમારી વાત સાંભળતો નથી,અનાજ નથી આવ્યું તેમ કહે છે,અમે 10 વખત ફ્રોમ ભર્યા છે,છતાં અમને અનાજ મળ્યું નથી,હાલે સરકારે જાહેરાત કરી છે,ત્યારે અમને અનાજ મળવું જોઈએ.આજે અમે તમામ ખાનગી વાહન ભાડે કરી રજુઆત માટે આવ્યા છે.મામલતદારે રજુઆત સાંભળી તમામને ફોર્મ આપ્યા હતા,જે ભર્યા બાદ આગળની કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.જે બાદ મહિલાઓનો ગુસ્સો શાંત થયો હતો.

  આ અંગે વલસાડ મામલતદાર એમ.એસ.વસાવાએ જણાવ્યું કે મહિલાઓની રજુઆત સાંભળી છે,હકીકતમાં તેમના કાર્ડ નોન એફિસિયલ એટલે કે એપીએલ કાર્ડ છે,ઉપરાંત મહત્તમ કાર્ડ ધારકના કાર્ડ લાંબા સમયથી બંધ છે,જેથી નિયમ મુજબ ત્રણ મહિના સુધી તેમાં ઓન લાઈન એન્ટ્રી ન પડે તો આપોઆપ કાર્ડ બંધ થઈ જાય છે.જે ફરી શરૂ કરવા તમામ પુરાવાઓ સાથે જરૂરી ફોર્મ ભરવું પડે છે,જે બાદ ચકાસણી પૂર્ણ થયે ત્રણ માસ બાદ કાર્ડ ચાલુ થાય છે

(9:39 pm IST)