Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

સૌરાષ્ટ્રના મીડિયા જગતમાં જાણીતું નામ અને જીવદયા પ્રેમી રાજુભાઈ શાહનું દુઃખદ અવસાન

અકિલા પરિવારે 2 મિનિટ મૌન પાડીને સદગતને અર્પિ શ્રદ્ધાંજલિ: ત્રણ દિવસથી સિનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા: સાંજે ૭.૨૮ કલાકે અંતિમ શ્વાસ લીધા

રાજકોટ : સૌરાષ્ટ્રના  મીડિયા જગતમાં જાણીતું નામ અને સમકાલીન મોબાઇલ ન્યુઝપેપરના સંપાદક રાજુભાઈ જયંતિભાઈ શાહ આજે મોડીસાંજે અરિહંત શરણ પામ્યા છે રાજુભાઈ જીવદયા અને પ્રકૃતિ પ્રત્યે  લગાવ ધરાવતા હતાં.તેઓ હાલમાં મોબાઈલ ન્યુઝ પેપર સમકાલીન નું સંપાદન કરતા હતા.
છેલ્લા અમુક વર્ષોથી તેઓ સ્વાસ્થ્ય અંગે થોડી તકલીફ રહેતી, પરંતુ ત્રણ દિવસ પેહલા તબિયત બગડતાં રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં દાખલ થયા અને આજે સાંજે ૭.૨૮ કલાકે તેઓએ અંતિમ શ્વાસ લીધા છે . અકિલા પરિવારે 2 મિનિટ મૌન પાડીને સદગતને શ્રદ્ધાંજલી  અર્પી છે
           રાજુભાઈના  પિતા સ્વ. શ્રી જયંતીભાઈ શાહ સૌરાષ્ટ્ર જીવદયા પ્રેરણાસ્ત્રોત અને વર્ષો સુધી રાજકોટ પાંજરાપોળમાં સેવા આપી હતી.
    રાજુભાઈના બે પુત્રો માંથી મોટા પુત્ર દિવ્યપલ હાલ રાજકોટમાં છે તો બીજા પુત્ર તેજપાલ કેનેડા માં છે.
           રાજુભાઈ સૌરાષ્ટ્ર આસપાસ ના પૂર્વ તંત્રી તથા હાલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન માં ગવરનિંગ બોડી મેમ્બર હતા.
    રાજુભાઈ નું આકસ્મિક અવસાન થતાં પરિવાર, સમાજમાં ઘેરો શોક છવાયો છે

(8:27 pm IST)