Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

ધો. ૧રની ઉત્તરવહીના અવલોકન માટે ગાંધીનગર જવુ નહીં પડે

અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં ઉત્તરવહી જોઇ શકાશે

  અમદાવાદ તા. ર૩ :.. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧ર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની મુખ્ય પરીક્ષાનાં પરિણામ જાહેર થઇ ચૂકયા છે, જે વિદ્યાર્થીઓ તેમની ઉત્તરવહીનું અવલોકન કરાવવા ઇચ્છતા હતા તેમણે શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરી દીધી છે, પરંતુ કોરોના સંક્રમણને લઇ હાલમાં ઊભી થયેલી પરિસ્થિતિએ વિદ્યાર્થીઓને રાહત આપી છે, કેમ કે વિદ્યાર્થીઓને આ વર્ષે પહેલી વાર ઉત્તરવહીના અવલોકન માટે ગાંધીનગર નહીં જવું પડે. ઉત્તરવહીના અવલોકન માટે વિદ્યાર્થીઓને ફરજીયાત ગાંંધીનગર જવાનું રહેતું હતું પણ હાલ કોવિડ-૧૯ ની સ્થિતિને ધ્યાનમાં રાખી શિક્ષણ બોર્ડે કામગીરીને ચાર ઝોનમાં વિભાજીત કરી છે. આ ચાર ઝોનમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતનો સમાવેશ કરાયો છે.

(3:54 pm IST)