Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

લોકાયુકત તરીકે શપથ લેતા રાજેષ શુકલા

ગાંધીનગર : ગુજરાતના લોકાયુકત પદે નવ નિયુકત થયેલા નિવૃત જસ્ટિસશ્રી રાજેશ એચ શુકલાને રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને રાજયમંત્રી મંડળના સભ્યો તેમજ મુખ્ય સચિવશ્રી અનિલ મુકિમ, રાજય વડી અદાલતના ન્યાયમૂર્તિઓ અને રાજય સરકારના વરિષ્ઠ સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. શપથ વિધિ સમારોહ પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં સોશીયલ ડિસ્ટેન્સિંગના અનુપાલન સાથે સંપન્ન થયો હતો.

(3:56 pm IST)