Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

સુરેન્દ્રનગર - નવસારી - પોરબંદર પાલિકાઓમાં વઢવાણ – વિજલપોર - છાયા પાલિકાઓનો સમાવેશ કરી સંયુકત નગરપાલિકાઓ રચાશેઃ વિજયભાઇ રૂપાણીની જાહેરાત

રાજ્યના નગરોના ઝડપી-પારદર્શી અને આયોજનબધ્ધ વિકાસ માટે મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય : સુરેન્દ્રનગર – દૂધરેજ - વઢવાણ નગરપાલિકા - નવસારી - વિજલપોર નગરપાલિકા - પોરબંદર - છાયા નગરપાલિકા અસ્તિત્વમાં આવશેઃ વહિવટી ખર્ચ ઘટતાં વિકાસકામોને નવી ગતિ મળશેઃ પ્રશાસકીય સરળતાથી કામોમાં ઝડપ આવશે

રાજકોટ,તા.૨૩: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નગરોના આયોજનબદ્ઘ અને ઝડપી વિકાસને વધુ વેગ આપવા રાજયની ત્રણ નગરપાલિકા વિસ્તારમાં તેને સંલગ્ન અન્ય નગરપાલીકા સમાવિષ્ટ કરીને સંયુકત નગરપાલિકાની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજયના સર્વગ્રાહી વિકાસને વેગ આપવા આ સંયુકત નગરપાલિકાઓની રચના કરી છે તેના પરિણામે સ્થાનિક સત્ત્।ાતંત્રનો વહિવટ ખર્ચ દ્યટશે. એટલું જ નહિ, પ્રશાસકિય વિસ્તારો અને કર્મયોગી માનવબળ વધતાં કામગીરીમાં સરળતા અને ઝડપ આવશે અને વિકાસકામોને નવી ગતિ મળતી થશે.ઙ્ગ

મુખ્યમંત્રીશ્રીના આ નિણર્ય અનુસાર, સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકામાં વઢવાણ નગરપાલિકાનો સમાવેશ કરીને સંયુકત નગરપાલિકા રચવામાં આવી છે અને તેનું મુખ્યમથક સુરેન્દ્રનગર રાખવામાં આવ્યું છે.

એટલું જ નહિ, દક્ષિણ ગુજરાતના નવસારી નગરપાલિકામાં વિજલપોર નગરપાલિકાનો સમાવેશ કરીને નવસારી-વિજલપોર સંયુકત નગરપાલિકાના અને તેના મુખ્યમથક તરીકે નવસારી રાખવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત પોરબંદર નગરપાલિકામાં છાયા નગરપાલિકા સમાવિષ્ટ કરીને પોરબંદર-છાયા નગરપાલિકા નામાભિધાન સાથે તેનું મુખ્ય મથક પોરબંદર રાખવાનો પણ નિર્ણય કર્યો છે.

આ નવી ત્રણ સંયુકત નગરપાલિકાઓમાં વહિવટદાર તરીકે સંબંધિત પ્રાંત અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. તદઅનુસાર, સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકાના વહિવટદાર તરીકે પ્રાંત અધિકારી વઢવાણ, નવસારી, વિજલપોર નગરપાલિકાના વહિવટદાર તરીકે પ્રાંત અધિકારી નવસારી અને પોરબંદર છાયા નગરપાલિકાના વહિવટદાર તરીકે પ્રાંત અધિકારી પોરબંદરની નિમણૂંક કરવામાં આવી છે.

(11:45 am IST)