Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા પણ વૃક્ષોના વિકાસ અને જતન અભિયાન : 24 ગામોમાં 500 વૃક્ષનો ઉછેર

 

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ: પર્યાવરણ સંતુલન અને જીવમાત્રને માટે હંમેશાં પોષણ આપતા વૃક્ષોનું જતન ખૂબજ જરૂરી છે.મોડાસા  ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ મિડિયાને માહિતી આપતા જણાવ્યું કે માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર,શાંતિકુંજ, હરિદ્વાર દ્વારા "વૃક્ષ ગંગા અભિયાન" ભારતભરમાં  ચલાવવામાં આવી રહ્યું છે. મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા પણ વૃક્ષોના વિકાસ અને જતન માટે  મોડાસા તેમજ આસપાસના ગામોમાં કાર્યક્રમ ચલાવવામાં આવે છે. જેમાં દરેક વ્યક્તિ વૃક્ષછોડને પોતાના તરુપુત્ર યા તરુમિત્રનો ભાવનાત્મક સંબંધ બાંધી ઉછેર માટે સતત સક્રિય રહેવાના સંકલ્પ સાથે વાવવામાં આવે છે.

    હવે વર્ષાઋતુ શરુ થઇ રહી છે. ત્યારે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા  મોડાસા તેમજ આસપાસના 24 ગામોમાં થઈ હાલમાં  500 વૃક્ષ ઉછેર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વડ 30, જામફળ 50, લીમડા 300, જાંબુ 50 પીપળ 60 , મીઠા લીમડા 10 ના રોપાનો સમાવેશ  કરવામાં આવ્યો છે  જેનો શુભારંભ ગાયત્રી ચેતના કેન્દ્રની સામેની જગ્યામાં  મોડાસા નગરપાલિકાના પ્રમુખ સુભાષભાઈ શાહના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં તેઓએ તરુમિત્રના ભાવથી સ્વયં તેની દેખરેખ અને ઉછેર કરવાનો સંકલ્પ કર્યો. વિશેષમાં મોડાસા નાગરિક બેંકના પૂર્વ ચેરમેન કમલેશભાઈ પટેલ , અન્નપૂર્ણા ટ્રસ્ટના અગ્રણી દિલિપભાઈ પટેલ તથા ગાયત્રી પરિવારના કિરીટભાઈ સોની, ધર્માભાઈ પટેલ, અરવિંદભાઈ કંસારા, રશ્મિકાંત પંડ્યા,  શીવુભાઈ પટેલ, અમૃતભાઇ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

  ગાયત્રી પરિવાર યુવા સંગઠન-ગુજરાતના સહ સંયોજક  કિરીટભાઈ સોનીએ કહ્યું કે વડોદરા યુથ ગૃપ દ્વારા છેલ્લા 200 રવિવારથી દર રવિવારે યુવાનો વૃક્શારોપણ અભિયાન ચલાવે છે. અમદાવાદમાં  નરોડા વિસ્તાર ગાયત્રી પરિવાર યુવા ટીમ દ્વારા પણ દશ હજાર વૃક્ષો ઉછેર થઈ રહ્યો છે.ગુજરાતભરમાં દરેક જીલ્લામાં પણ અભિયાન ચલાવવામાં આવે છે. આંદોલન મોડાસા સહિત ગુજરાતભરમાં વધુ તીવ્ર ગતિ લાવવા આયોજન કરવામાં આવ્યું છે.

(12:11 am IST)