Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

રાજપૂત સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ : 100 જેટલા યુવાનો એ રક્ત દાન કર્યું

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા રાજપૂત ફળીયાની વાડીમાં રાજપૂત સમાજ દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું પાલિકા કારોબારી ચેરમેન અને પૂર્વ પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલ અને તેમના પરિવાર દ્વારા આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજપૂત સમાજના 100 જેટલા યુવાનો એ રક્ત દાન કર્યું હતું

 રાજપીપલાની રેડક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન કરવામાં આવ્યું જેમાં રેડક્રોસ સોસાયટીના મુખ્ય વહીવટદાર એન.બી.મહિડા, કરણસિંહ  ગોહિલ, ભરતભાઈ વ્યાસ, કુલદીપસિંહ ગોહિલ સહીત રાજપૂત સમાજના આગેવાનો હાજર રહ્યા છે. આ બાબતે પાલિકા કારોબારી ચેરમેન અલ્કેશસિંહ ગોહિલે જણાવ્યું હતું કે  નર્મદામાં લોહીની માંગ વધુ છે પણ દાન આપવા વાળા ઘણા ઓછા છે જેથી હાલ કોરોના વચ્ચે બહારથી બ્લડ મળે ના મળે જો જિલ્લામાં સંગ્રહિત બ્લડ હોય તો જિલ્લાના લોકોને કામ આવે એવી એક ભાવનાથી આ રક્તદાનનું આયોજન કર્યું છે.

 

(12:00 am IST)