Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

વાંસમાંથી સુંદર ચીઝ વસ્તુઓ બનાવી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા ડેડીયાપાડાના કોટવાડિયા પરિવાર

આકર્ષક ઉત્પાદનોને વેચવા માટે યોગ્ય પ્લેટફોર્મ મળે ઊંચો ભાવ મળે તો તેમનું જીવન ધોરણ ઊંચું આવે: વાંસમાંથી બનતી ચીઝ વસ્તુઓ ઓનલાઈન તેમજ મોલ વિગેરેમાં ખૂબ ઊંચા ભાવે વેચાય છે પરંતુ તેમને બનાવનાર કારીગરોને યોગ્ય ભાવ મળતા નથી

 

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાના કોટવાડિયા પરિવાર દ્વારા વાંસ (બમ્બુ) માંથી ખુબ જ સુંદર વસ્તુ ફર્નિચર બનાવીને વેચવાનો કામ કરતા ગરીબ લોકોને સારો ભાવ મળે તો તેમનું જીવન ઘણું ઊચું આવે તેમ છે

 પ્રાપ્ત વિગત મુજબ ડેડીયાપાડા તાલુકાના અતિ દુર્ગમ વિસ્તારોમાં રહેતા આદિવાસીઓમાં આ એક પરંતુ કોટવાળીયા સમાજના લોકો ખૂબજ ગરીબ પરિવારો પોતાની જિંદગી ગરીબી મા જીવે છે જે લોકો પાસે પોતાની જમીન પણ ન હોવાથી તેઓ પોતાની જિંદગી બમ્બો વાસની વિવિધ બનાવટો અને બનાવવામાં પોતાની જિંદગી જીવે છે આ લોકો ખૂબ જ સુંદર કારીગર હોય છે પરંતુ જાહેર જીવન નો અભ્યાસ ન હોવાથી ખૂબ જ ગરીબ રહ્યા છે સરકારી યોજનાઓ પણ તેમના સુધી નથી પહોંચી

 તેઓ ખૂબ જ સુંદર આર્ટવર્ક કરીને આદિવાસી સમાજનું પણ નામ ઉપર કરી રહ્યા છે પરંતુ આ સમાજને જો મદદ મળે તો તેઓ ખૂબ ઉમદા કારીગર બની ભારતભરમાં પોતાનું નામ રોશન કરી શકે તેમ છે આદિવાસી ગરીબ લોકો પોતે પોતાના પરિવાર નાના બાળકો સાથે જંગલમાંથી બામ્બુ વાસ લાવે છે અને તેનાથી તેઓ ખૂબ સુંદર ફર્નિચર બનાવે છે સોફા સેટ બનાવે છે કોઈ બનાવે છે હીચકા બનાવે છે ,સાથે વાસ ની ચોપડી ટોપલા તથા હમણાં તો ફેન્સી ફુલદાનીઓ પણ ખૂબ જ સુંદર રીતે તૈયાર કરે ગ્રામ્ય કક્ષાએ તેઓ વધુ પૈસા નથી મેળવી શકતા પરંતુ જિંદગી જીવી જાય છે માટે આવા પરિવારોને જો સરકાર દ્વારા મદદ મળે તેવી લોકોની ઈચ્છા છે
 બીજી તરફ અવાજ એક પરિવારના સભ્ય દ્વારા ડેડીયાપાડા ખાતે એક ને ન્યુ ફર્નિચર માર્ટ શરૂ કરવામાં આવ્યો છે જેમાં જેમાં માત્ર bambo વાંસથી જ બનતી બનાવટો ને ઉપયોગમાં લઈને ખુબ સુંદર ફર્નિચર બેસાડવામાં આવ્યું છે જેમાં આરામદાયક ખુશીઓ પણ હોવાથી બનાવવામાં આવી છે જો અને વ્યવસ્થિત શહેરોનું માર્કેટ મળે તો ખૂબ જ ઊચા ભાવે આ ફર્નિચર વેચાતો આ લોકોનું જીવનધોરણ ખરેખર ઉપર આવશે અને આ લોકોને પણ સારી જગ્યા પર બતાવવાની જરૂર છે જો તેઓને સગવડ આપવામાં આવે તો તે લોકો ભારતમાં નામી કલાકારો તરીકે ઓળખાવી શકે તેમ છે માટે આ કળાને જાળવી રાખવાની સરકારને પણ ફરજ છે સંસ્થાની ફરજ છે તે ઉપરાંત વનવિભાગની પણ ફરજ છે તો તમામે ભેગા મળીને આ લોકોનો પુનરુત્થાન કરવો જોઈએ જેનાથી આ લોકોનો જીવન ખૂબ સુંદર સુખી બની શકે અને કળાનો વારસો જે છે તે જળવાય રહે
 બામ્બુ બનાવટની બાબતમાં વન વિભાગના આર.એફ.ઓ અશોક કુમાર રાણાએ જણાવ્યું હતું કે કે સરકાર તરફથી વન વિભાગ તરફથી પણ કોટવાડીયા સમાજ માટે ઘણી સારી યોજનાઓ ચાલે છે તેમના માટે સસ્તા ભાવે મળે તે માટેની વ્યવસ્થા થાય છે તે ઉપરાંત તેમના માટે સ્ટોરની પણ પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેના કારણે તેનું વેચાણ વધે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ડેડીયાપાડા તાલુકા ખાતે સ્ટોર ઉભા કર્યા છે જેના કારણે તેમની પ્રોડક્ટ દેશ વિદેશ સુધી પણ પ્રખ્યાત થાય તેવા પ્રયત્ન કર્યા છે તે ઉપરાંત તેમને સારી તાલીમ મળે તે માટે સારા ઉત્તમ પ્રકારના bamboo વાસ બનાવટના કારીગરોને લાવીને પણ તેમને તાલીમ આપવામાં મને બીજી કોઈ પણ તેમની માગણી હશે તે બાબતે પણ સરકારનું ધ્યાન દોરીને તેમને સારી સગવડ મળે તેવા પ્રયત્નો તમારા દ્વારા કરવામાં આવશે

  આ બાબતે કોટવાડીયા સમાજના સુરેન્દ્રભાઈ કોટડીયાએ જણાવ્યું અમારી વસ્તી અંદાજીત નર્મદા જિલ્લામાં ૪૦૦ જેટલી છે કે અમે છેલ્લા ઘણા વર્ષોથી અને પેઢીઓથી આ કાર્ય કરતા આવ્યા છે અને અમારા લોહીમાં જ આ કલા વ્યાપેલી છે અમારા નાના બાળકોથી લઈને એક ઉંમરલાયક સ્ત્રી-પુરુષ તમામને આ કાર્ય આવડે છે અને ખૂબ સારા કારીગર છે પરંતુ ગરીબીના કારણે અમે યોગ્ય વળતર મેળવી શકતા નથી જો સરકાર અમારા માટે સારી વ્યવસ્થા કરે અને અમારી એક સારી પાકી કોલોની વ્યવસ્થા કરી શહેરમાં જો અમારા કલાને સ્થાન આપવામાં આવે તો ખૂબ મોટી સંખ્યામાં લોકો અમારી bamboli વસ્તુઓ વાપરીને અમારી રોજી રોટી માં ચાર ચાંદ લગાવી શકે તેમ છે માટે જ માંગ કરે છે કે અમને વધુ રોજગારી મળે વધુ સારું વળતર મળે તેવી અમારી માંગ છે.

(11:56 pm IST)