Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

ગુજરાતના લોકાયુક્ત તરીકે શ્રી રાજેશ શુક્લાની વરણી

શ્રી ડી,પી,બુચનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ છેલ્લે બે વર્ષથી પદ ખાલી હતું : હવે ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજ રાજેશ શુક્લાની નિયુક્તિ

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા 2 વર્ષથી ખાલી પડેલ લોકાયુક્તની જગ્યા માટે ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજ રાજેશ શુક્લાની નિયુક્તિ કરવામાં આવી છે. નોંધનીય છે કે, ડી.પી બુચનો કાર્યકાળ વર્ષ 2018માં પૂર્ણ થતાં આ પદ ખાલી પડ્યું હતું અને નવા લોકાયુક્ત માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી.

   અત્રે ઉલ્લેખનીય છે કે લોકાયુક્તની નિમણૂંક માટેની જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી લેવાામાં હતી અને તેમાં R.H શુક્લાનું નામ સૌથી મોખરે હતું. ત્યારે આજે સત્તાવાર રીતે તેમની ગુજરાતના લોકાયુક્ત તરીકે નિયુક્ત કરાયા છે. 

1981માં વકીલાતનો વ્યવસાય અપનાવ્યા બાદ તેમણે 1982થી ગુજરાત સરકારના પેનલ પરના ખાસ વકીલના પ્રતિનિધી તરીકે કામ કર્યું છે. 1994માં તેઓ અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ જજ બન્યા. અમદાવાદમાં 1988માં થયેલાં પ્લેન ક્રેશના કેસમાં ભોગ બનનારાં લોકોને વળતર આપવાનો ચૂકાદો પણ તેમણે સંભળાવ્યો હતો. નવેમ્બર 2007માં ગુજરાત હાઇકોર્ટના અધિક ન્યાયમૂર્તિ, મે 2009માં તેઓ કાયમી જજ બન્યા હતા. નિવૃત્ત જસ્ટીસ આર એચ શુક્લાએ 2010માં એક VIP વ્યક્તિના જામીન આપ્યા હતા જે હાલમાં દેશમાં એક મહત્વના અને શક્તિશાળી પદ પર કાર્યરત છે. 

(9:51 pm IST)