Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

સુરતમાં સ્વાઈનફ્લુનું સંકટ ઘેરું બન્યું :વધુ સાત કેસ પોઝિટિવ

-કુલ 84 કેસ નોંધાયા જેમાં 18 દર્દીની સારવાર ચાલુ

 

સુરતમાં  સ્વાઇન ફલૂનું સંકટ ઘેરુ બન્યું છે. આજના એક જ દિવસમાં સ્વાઇન ફલૂના વધુ 7 કેસ પોઝીટીવ આવ્યા છે. તો અત્યારસુધીમાં કુલ 84 કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાંથી 18 દર્દીઓની સારવાર ચાલી રહી છે. સુરતમાં સ્વાઇન ફલૂથી અત્યારસુધીમાં એક દર્દીનું મૃત્યુ થઇ ચૂક્યુ છે.

(10:44 pm IST)