Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ઉચ્છલ તાલુકાના માણેકપુરમાં ખેડૂતનો 16 વર્ષીય પુત્ર અગમ્ય કારણોસર ભેદી સંજોગોમાં ગૂમ

વ્યારા:ઉચ્છલ તાલુકાનાં માણેકપુર ગામે રહેતા ખેડૂત પુત્રનું કાયદેસરના વાલીપણામાંથી અજાણ્યો શખ્સ અપહરણ કરી જતા ઉચ્છલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ૧૦ દિવસથી ૧૬ વર્ષનો તરૂણ ભેદી સંજોગોમાં ગાયબ છે.

ઉચ્છલ તાલુકાનાં માણેકપુર ગામે માવચી ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા વંત્યાભાઈ બોદાભાઈ માવચી તા. ૧૩-૦૨-૨૦૧૯ નાં રોજ ૧૬ વર્ષનો પુત્ર વિજયને ઘરે મૂકી પત્ની સાથે નજીકમાં અવસાન પ્રસંગે હાજરી આપવા ગયા હતા. બપોરે પતિ-પત્નિ ઘરે આવતા ઘર આંગણે વિજય જોવા મળ્યો ન હતો. સાંજ સુધી વિજય ન આવતા વંત્યાભાઈ પરિવારને સાથે લઈ મહારાષ્ટ્ર તેઓના સંબંધીઓને ત્યાં શોધવા ગયા હતા. ચાર-પાંચ દિવસની શોધખોળ બાદ પણ પુત્ર વિજયનો ક્યાંય પત્તો ન લાગતા ગુરૂવારે વંત્યાભાઈ માવચી ઉચ્છલ પોલીસમથકે આવ્યા હતા અને કાયદેસરના વાલીપણામાંથી અજાણ્યો શખ્સ પુત્ર વિજયનું અપહરણ કરી ગયાની પોલીસ ફરિયાદ આપી હતી.

 

 

 

(5:52 pm IST)