Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી સાથે મંત્રણા બાદ કેતન ઇનામદાર માની ગયા:ઘીના ઠામમાં ઘી પડ્યું

કેતનભાઈની માંગણી સ્વાભાવિક અને પ્રજાના હિતમાં છે : જલ્દી પૂર્ણ થાય તેવા પ્રયાસ કરશું : જીતુભાઇ વાઘાણી

વડોદરા : સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામાં બાદ ભાજપ મોવડીમંડળે બાજી સંભાળી લીધી છે આજે સાંજે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી સાથેની મુલાકાત બાદ કેતન ઇનામદારની નારાજગી દૂર થઇ છે અને ઘીના ઠામમાં ઘી પડી ગયું છે આ બંને વચ્ચે મુલાકાત બાદ રાત્રે જીતુભાઇ વાઘાણીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે કેતનભાઈની માંગણી સ્વાભાવિક છે અને પ્રજાના હિતમાં છે તેઓની માંગણી જલ્દી પૂર્ણ થાય તેવા પ્રયાસ કરશું અને કેતનભાઈ મારા મિત્ર છે તેઓ તેનું રાજીનામુ આપવાની વાતને પૂર્ણવિરામ મૂક્યું છે હવે કેતનભાઈના રાજીનામાનો કોઈ પ્રશ્ન નથી

ભાજપ હંમેશા શિસ્તબદ્ધ પાર્ટી છે અને દરેકને સાંભળીને નિર્ણય લેવાય છે કેતનભાઈની તમામ રજૂઆતોની નિરાકરણ લાવવા ખાતરી આપી છે

(9:29 pm IST)