Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

પેટલાદની પરિણીતા પર શારીરિક માનસિક ત્રાસ ગુજારી છૂટાછેડા માટે મજબુર કરનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

પેટલાદ: ખાતે રહેતી એક પરિણીતા પર તેના પતિ, સાસુ અને નણંદ દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારીને છૂટાછેડા માટે દબાણ કરતાં આ અંગે પેટલાદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી સંગીતાબેનના લગ્ન પેટલાદની મોટી બ્રહ્મપોળમાં રહેતા સંજયભાઈ દશરથભાઈ રાણા સાથે થયા હતા. સુખી લગ્ન જીવનના ફળસ્વરૂપે બે સંતાનપ્રાપ્તી થઈ હતી. પરંતુ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી પતિ દારૂ પીવાની લત્તે ચઢી જતાં તેણે પત્ની પર ત્રાસ ગુજારીને મારઝુડ ચાલુ કરી દીધી હતી. જેમાં સાસુ લ-મીબેન નણંદ સોનલબેન દ્વારા ચઢવણી કરવામાં આવતાં તેણીના ત્રાસમાં વધારો થઈ જવા પામ્યો હતો.

(5:20 pm IST)