Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

દીકરા અને દહેજની લાલચમાં પુત્રવધૂને ત્રાસ આપતા ફરિયાદ

અમદાવાદના મેઘાણીનગરની ઘટના : પતિ છેલ્લા અઢી વર્ષથી મારઝૂડ કરી ત્રાસ આપતો હતો

અમદાવાદ, તા.૨૨ : શહેરના મેઘાણીનગર વિસ્તાર માં નજીવી બાબતો માં મહિલા ને તેના પતિ અને સાસરિયાં ત્રાસ આપતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મહિલા નો આરોપ છે કે તેના પતિ છેલ્લા અઢી વર્ષ થી તેને મારઝૂડ કરીને ત્રાસ આપતો હતો જેથી તે તેના પિતા ને ત્યાં રહેવા માટે આવી ગયેલ છે. મહિલાને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો કે અમારે દીકરો જોઈતો હતો તારે તો દીકરીઓ છે આમ દીકરા અને દહેજના માનસિક ત્રાસમાં જીવતી એક પરીણિતાએ પોલીસ મથકમાં જઈને રાવ નાંખી છે.

                મહિલાનો આરોપ છે કે તે તેના પતિ ને ફોન કરે તો તે યોગ્ય વાત પણ કરતો ના હતો અને કહેતો હતો કે હું તને લેવા માટે નહિ આવું. તારા બાળકોને પણ કંઈ આપીશ નહિ. એટલું જ નહિ ધમકી આપતો હતો કે જો તું તારા માં બાપ પાસે થી કઈ લાવેલ નથી. દહેજ માં પણ કઈ લાવેલ નથી. જો તું તારા માં બાપ પાસે થી અમદાવાદમાં મકાન લાવી આપ નહિ તો તને પણ હું જાન થી મારી નાખીશ.જો કે આ મહિલા જ્યારે પણ આ બાબત ની જાણ તેના સાસુ સસરા ને કરવા માટે જાય તો તેઓ પણ કહેતા હતા કે અમારે દીકરો જોઈતો હતો તારે દીકરીઓ છે. અમારે તને રાખવી નથી.

(7:20 pm IST)