Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

નર્મદા જિલ્લામાં નવા ૦૮ કોરોના પોઝિટિવ કેસ સાથે જિલ્લાનો કુલ આંકડો ૫૮૪ થયો

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય જિલ્લા બીજા નવા ૦૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.

મળતી માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૦૮ નવા દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.જેમાં રાજપીપળા ના રાજેન્દ્રનગર સોસા.-૦૧ ખાટકીવાડ પાસે-૦૧ અને પાઠક ખડકી-૦૧ તેમજ નાંદોદ તાલુકાના નિકોલી-૦૧ જીઓર પાટી ગામ- ૦૧ કાંદરોજ-૦૧ જ્યારે ગરુડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની-૦૧ અને સાગબારા-૦૧ કેસ સાથે નર્મદા જિલ્લામાં કુલ ૦૮ દર્દી પોઝિટિવ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૩૧ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૦૯ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૧૭ દર્દીઓ દાખલ છે આજે ૦૬ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૫૨૩ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથે જ જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૫૮૪ પર પોહોચ્યો છે, આજે વધુ ૩૫૦ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(6:42 pm IST)