Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

અમદાવાદના દાણીલીમડામાં વરસાદી પાણીથી ભરાયેલ તળાવમાં ડૂબી જતા બે બાળકોના મોત

બેરલમાર્કટ પાસે નવા બનતા પંમ્પિંગ સ્ટેશન પાસે પાણી ભરાયું હતું

અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા બેરલમાર્કટ પાસે વરસાદી પાણી ભરાયેલા તળાવમાં 2 કિશોરો ડૂબી ગયા હતા. બંનેના મોત થયા છે. સ્થાનિકોએ બંનેને તળાવમાંથી કાઢીને મણીનગરની એલજી હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરોએ બંનેને મૃત ઘોષિત કર્યા હતા. હોસ્પિટલ સંકુલમાં બંને કિશોરોના પરિવારે ભારે આક્રંદ કર્યું હતું.

દાણીલીમડા બેરલ માર્કેટ પાસે આવેલા બિસ્મિલ્લા નગરની આસપાસના રહેવાસી અર્શદ અને રેહાન આજે બપોરના સમયે નવા બનતા પંમ્પિંગ સ્ટેશન પાસે પાણી ભરાયું હતું તેમ નાહવા પડ્યા હતા. જેમાં અંદર કાદવ હોવાથી ડૂબવા લાગ્યા હતા અને પાણી પી ગયા હતા. સ્થાનિક લોકોએ તેને બહાર કાઢી હોસ્પિટલમાં પહોંચાડ્યા પરંતુ બંનેના મોત થયા હતા.

દાણીલીમડા પોલીસ સ્ટેશનના PI વી.આર. વસાવાએ જણાવ્યું હતું કે, બંને બાળકો નવા બનતા પમ્પિંગ સ્ટેશન પાસે પાણી ભરાયેલા ખાબોચિયામાં નાહવા ગયા હતા અને ડૂબવા લાગ્યા હતા.

(5:50 pm IST)