Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

દહેગામમાં પાર્લરને નિશાન બનાવી તસ્કરોએ 37હજારની મતાની ઉઠાંતરી કરી

ગાંધીનગર:જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહયા છે ત્યારે દહેગામ શહેરમાં તસ્કરોએ પાર્લરને નીશાન બનાવ્યું હતું. અહીં શ્રીહરી બંગલોઝ મકાન નં.૧૭માં રહેતાં ચિરાગ પ્રહલાદભાઈ પટેલ ગોકુલધામ પાન પાર્લર ચલાવે છે. ગત બુધવારે રાત્રે તેઓ પાર્લર બંધ કરીને ઘરે ગયા હતા તે દરમ્યાન તસ્કરોએ આ પાર્લરના શટરનું લોક ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો. છતના ભાગે પણ પતરાં ઉંચા કરી દીધા હતા. તસ્કરો તેમાંથી સીસીટીવીનું ડીવીઆર, વિવિધ કંપનીના સ્પ્રે, ચોકલેટ, એનર્જી ડ્રીન્ક, પાન બીડી ગુટકા સિગારેટના પેકેટ અને રોકડ મળી ૩૭ હજાર ઉપરાંતનો મુદ્દામાલ ચોરીને પલાયન થઈ ગયા હતા. જે સંદર્ભે સવારે દુકાને પહોંચેલા ચિરાગભાઈને આ ઘટનાની જાણ થઈ હતી. જેથી તેમણે આ મામલે દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.  

(5:14 pm IST)