Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

IAS કેડરના પાંચ અધિકારીઓની મદદનીશ કલેકટર પદે નિમણૂક

અંકિત પાનુ જુનાગઢમાં, ઉત્સવ ગૌતમ લાઠીમાં, પુષ્પ લતા ભાવનગરમાં, મમતા પોપટ ધધૂકામાં

રાજકોટ, તા. રર : રાજય સરકારે ર૦૧૮ની બેચના આઇ.એ.એસ. કેડરનાં પાંચ અધિકારીઓનો તાલીમી સમયગાળો પુરો થતા મદદનીશ કલેકટર (પ્રાંત અધિકારી) કક્ષાએ નિમણૂક આપી છે. તે પાંચ જગ્યા પર રહેલા ડેપ્યુટી કલેકટરોને હવે પછી અન્યત્ર નિમણૂક અપાશે.  શીવાની ગોયલને ડભોઇ, અંકિત પાનુને જુનાગઢ, મમતા હિરપરા (પોપટ) ને ધધૂકા, પુષ્પ લતાને ભાવનગર, અક્ષયા બુધાણીયાને જામનગર ગ્રામ્ય, જયમીન હર્ષતને દેવગઢ બારીયા અને સ્નેહલ ભાપકરને ખંભાતમાં મદદનીશ કલેકટર તરીકે નિયુકત કરવામાં આવ્યા છે.

(3:54 pm IST)