Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

આજથી શરૂ થયેલા ગણેશચતુર્થીના પર્વે ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ રાજપીપળા સ્થિત શ્રી રત્ન ગણેશ મંદિરે દર્શન કર્યા

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : સમગ્ર વિશ્વ માં કોરોના મહામારી ચાલી રહી હોય ચાલુ વર્ષે ગણેશ ચતુર્થી ની રોનક ક્યાંયે જોવા નહીં મળે આ વર્ષે ગણેશોત્સવ ની સાર્વજનિક ઉજવણી બંધ હોવાથી ભક્તો એ પોત પોતાના ઘરો માજ વિઘ્નહર્તા દેવ ની સ્થાપના કરી છે ત્યારે રાજપીપળા દરબાર રોડ સ્થિત શ્રી રત્ન ગણેશ મંદિરે ભરૂચ સંસાદ મનસુખભાઇ વસાવા દર્શનાર્થે આવ્યા તેમણે સરકારની ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પેહરી દર્શન કરી પૂજા કરી વિઘ્નહર્તા ના દર્શન કરી હાલ સમગ્ર વિશ્વમાં ચાલતી કોરોનાની મહામારી વહેલી તકે દેશમાંથી નાબૂદ થાય તેવી પ્રાર્થના કરી સાથે સાથે નગરજનોને આ વખતે જેમ બને તેમ માટીની મૂર્તિનો જ ઉપયોગ કરવાની જણાવ્યું હતું.

આમ તો ભરૂચના લોકલાડીલા સાંસદ મનસુખભાઈ વસાવા કોઈ પણ વાર તહેવારમાં તેમની હાજરી હોય ત્યારે તેમના સાહિયોગીઓ સાથે જોવા મળતા હોય છે પરંતુ આ વખતે તેમણે સોશિયલ ડિસ્ટન્ટ જળવાઈ રહે તે હેતુથી એકલા દર્શન કરવાનું પસંદ કર્યું હતું.

(3:42 pm IST)