Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

અમદાવાદના ભૂતપૂર્વ મેયર પ્રફુલભાઇ બારોટનું નિધન

રાજકોટ : ભાજપના જુના અને જાણીતા અગ્રણી અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમીટીના પૂર્વ ચેરમેન અને શહેરના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટનું (ઉ.વ.૭૪) આજે દુઃખદ અવસાન થયેલ છે. તેઓ ભાજપની પ્રદેશ શિસ્ત સમિતિના અધ્યક્ષ સહિત સંગઠન ક્ષેત્રે વિવિધ પદ પર સેવા આપી ચુકયા હતા. જાહેર જીવનમાં ઉમદા વ્યકિત તરીકે જાણીતા હતા. આજે સવારે અમદાવાદ ખાતેના તેમના નિવાસ સ્થાનેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી. (સ્વ. પ્રફુલભાઇના સુપુત્ર શ્યામ બારોટનો મો. ૯૮રપ૩ રર૮૦૧).

ભાજપ મીડિયા સેલના અગ્રણી શ્રી જયેશ વ્યાસે સ્વ. પ્રફુલભાઇ સાથેના સંસ્મરણો વાગોળી શ્રધ્ધાંજલી અર્પતા જણાવ્યું છે કે સમાજ માટે કંઇક કરી છુટવાની ભાવના અને કાર્યકરો સાથે આત્મીય નાતો ધરાવતા પ્રફુલભાઇ સુવર્ણ પૃષ્ઠ સમાન હતા. પક્ષ અને સમાજને તેમનું હંમેશા સ્મરણ રહેશે.

(2:41 pm IST)